26 October, 2015

૨૦ મી સદી નુ જીવતુ જગતુ નર્ક – "આઉશવિત્ઝ”

આઉશવિત્ઝ સાંભળી ને લોકો કહેશે આ વળી શુ છે ??
થોડુ તમારા મગજ ને કષ્ટ આપી કરો, ને હિટલર સુધી જાવ.

 આવે છે યાદ ? હિટલરે લાખો જ્યુ લોકો ને ગેસ ચેમ્બર માં ગુંગળાવી મારી નાખ્યા હતા..બસ કદાચ આપણે આટલુ જ સાંભળ્યુ હશે, પણ આ તો ખાલી નાનો અંશ જ છે..




હિટલર ને યહૂદીઓ( jews )  લોકો પ્રત્યે ખુબ જ સખત નફરત હતી, જર્મની, પોલેન્ડ, ફ્રાન્સ, વગેરે મા જ્યુ લોકો ખુબ જ આગળ હતા….હિટલર ને તેનાથી જલન થતી,
હિટલર અને તેના નાઝીઓએ આ લોકો પર જે અત્યાચારો કર્યા તે કદાચ નર્ક માં યમરાજ પણ કરતા શરમાય
આ બધા અત્યાચાર માટે હિટલરે એક ખાસ છાવણી બનાવી હતિ જે છે  “આઉશવિત્ઝ ”
નાઝીઓ એ જે અત્યાચારો કર્યા તે લખવા જઈએ તો પાનાઓ કે બૂક ભરાઈ જાય ને તોય ઓછ પડે, પણ છતા પ્રયત્ન કરી સંક્ષિપ્ત માં થોડો અંશ અહી રજુ કરુ છુ, જેથી લોકો ને થોડિ જાણ થાય..
હિટલર પાસે વાણી નો જાદુઈ ચમત્કાર હતો, આનો દુરુપયોગ કરી તેણે બધા જર્મનો ( નાઝીઓ) ને ખુબ ભડકાવ્યા કે જ્યુ લોકો જ આપના ખરા દુશ્મનો છે, જો તમે લોકો ખરા મર્દ હોય તો તેનો જર્મની માંથી જડમુળ થી નાશ કરો, એક પણ જ્યુ બચવો ના જોઈએ…
અને પછી શરુ થયુ અત્યાચાર નુ ફિલ્મ…
નાઝિઓ એ જ્યા જ્યા જ્યૂ લોકો દેખાયા ત્યા જઈ તેના મકાનો, દુકાનો માં ભાંગ-ફોડ કરિ, સમાન ફેક્યા, સળગાવ્યા,
પોતાના જ દેશ મા જ્યુ લોકો ગુલામ બન્યા હતા ( આઇનસ્ટાઇન પણ જ્યુ જ હતા, અને એ માટે જ તે જર્મની છોડિ અમેરિકા ચલ્યા ગયા હતા)
પછી ધીરે ધીરે નાઝિઓ જ્યુઓ ને પકડી પકડિ આઉશવિત્ઝ ની છાવણી માં પુરવા લગ્યા, જ્યુઓ ની ઓળખ માટે ગરમ કરેલા સળીયાઓ થી તેના શરીર પર સ્ટાર નુ નિશાન કરવામાં આવતુ
લાખો ની સંખ્યા મા અલગ અલગ જગ્યા એ થી અહીં જ્યુઓ ને ભેગા કર્યા, કાળ કોટડી માં ઠાંસી ને ભર્યા, અને પછી જેમ પ્રયોગ શાળા માં કેમીકલ્સ સાથે પ્રયોગ થાય તેમ અહી લોકો સાથે જુદી જુદી મૌત ની પધ્ધતી ના પ્રયોગો થતા…
સ્ત્રીઓ ને નગ્ન કરી, તેના માથા ના વાળ ખેરવી ટકો કરાવી કતાર મા દિવસો સુધી ખડી કરવામાં આવતી,
ને પછી દસ દસ ની એક કતાર કરી તેને બંધુક ધારી નાઝીઓ ગોળી એ દેતા , તો ઘણી વાર તેની સાથે બળાત્કાર પણ થતા…
તિક્ષ્ણ સોયો ને આંગળા માં ઘુસાડતા, હાથ બાંધી સળગતી સગડિ પર કલાકો સુધી મોં રાખવામાં આવતુ, ને પછી તેને તરફડી ને મરવા માટે છોડી મુકતા, કડકડતી ઠંડ માં બરફ પર સુવાડી તેના પર ઠંડા પાણી ની પાઈપ છોડતા,
જર્મન સાયન્ટીસ્ટો મૌત ની નવી રિતો શોધવામાં વ્યસ્ત રહેતા..
રોજ લાખો જ્યુઓ ને પકડી અહી ટ્રેન દ્વારા લવાતા, ટ્રેન માંથી ઉતરે એટલે તેનુ આયુષ્ય માત્ર ૧૫ દિવસ નુ જ હોય….
જેલ જેવી જ અહિ અનેક કોટડિઓ હતી, જેમા બધા ને ખીચો ખીચ ભરી ને પછી કાર્બન મોનોક્સાઈડ છોડવામા આવતો
તો ક્યારેક ઝેરી ઇંજેકશનો આપતા,

ક્યારેક ઉંડા ખાડાઓ કરી, કતાર મા લોકો ને ઉભા રખી એક પચી એક ને તેમાં ધકો મારી ને મારી નાખવામાં આવતા, તો ક્યારેક સાઈનાઈડ ના ઝેરી ફુવારાઓ લોકો પર છાંટતા ને મજા લૂંટતા, લોકો તો જાણે જંતુઓ મરે તેમ થોડિ જ વાર માં ટપો ટપ મરવા લાગતા, ને થોડિ જ વાર માં લાશો નો ઢેર થઈ જતો..
ત્યાર બાદ એક સાયન્ટિસ્ટે ઓછી મહેનતે વધુ લોકો ને મારવાની ગેસ ચેમ્બર ની રીત શોધી, જેમ આપણે કેરોસિન- પેટ્રોલ ની લાઈન માં ઉભા રહિએ તેમ જ્યુ લોકો ને ગેસ ચેમ્બર ની બહાર મરવા માટે ઉભા રખાતા, અને ખાવાનુ કશુ કશુ જ આપવામા ના આવ્તુ, કેટલાય તો ચેમ્બર મા જતા પહેલા જ ભુખ્યામરી જતા…

માત્ર થોડિ જ સેકન્ડો માં લાશો ન ઢગલાઓ થઈ જતા, ને પછી બધા ને સામુહીક રીતે બાળી દેવાતા, જો ભુલ થિ કોઇ બચ્યુ પણ હોય તો તેને જીવતા જ પકડી ને આગ ની ભઠી મ રીંગણા શેકાય તેમ શેકી નાખતા…અત્યાચારો ની કોઇ જ હદ ના હતી અહીં..

નાઝીઓ એટલા તો ક્રુર હતા કે તેના હ્રદય પથ્થર ના નહી પણ ગ્રેનાઈટ જેવા મજબુત હતા…જ્યુ લોકો ને અલગ અલગ રીતે મારવા નો તેને ખુબ જ આનંદ આવતો
આ તો માત્ર એક છાવણી નિ વાત થઈ, આવી કુલ ૨૨ હતી, જેમા આ સૌથી વધૂ ખતરનાક હતી..
બીજા વિશ્વયુધ્ધ પછી આ બધી જ હકિકતો બહાર આવી, ત્યા સુધી કોઇ ને પણ આ વાત ની ગંધ આવી ના હતી..
૨૦ મી સદી ની સૌથી ખતરનાક, જીવલેણ, અને શરમજનક ઘટના આ છે, એવુ ઈતીહાસકારો નોંધે છે
૨૦૦ વર્ષ મા જે અત્યાચારો અન્ગ્રેજો એ નથી કર્યા તે નાઝિઓ એ ૧૦ વર્ષ મા પોતાના જ દેશ ના જ્યુઓ પર કર્યા
આ લખ્યુ એ તો હજૂ થોડો અંઅશ છે, માત્ર TRAILER !
PICTURE   તો બાકી હે દોસ્તો
એ માટે આપ ” નાઝી નર-સંહાર” બૂક વાંચો એવી ભલામણ છે
– Vivek Tank