21 October, 2016

ચાલો ખુશીઓ વહેંચીએ


       " ચાલો ખુશીઓ વહેંચીએ આ દિવાળીએ"

આપનું નાનું યોગદાન કોઈનાં ચેહરા પર સ્મિત લાવી શકે છે.

અમે લોકો એ દિવાળી અને નવા વર્ષે એક અભિયાન ચલાવવાના છીએ.  મિત્રો સહકાર આપો એવી સૌને વિનંતી.

આપ આપની કંઈ પણ વસ્તુઓ, કે રોકડ ફંડ અમને પહોંચાડો અને અમે તે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડીશું.

ફંડ માટે એકાઉન્ટ નંબર માટે  અને આ અભિયાનમાં અમારી સાથે જોડાવા માટે મેસેજ કરવો.

લોકો પોતાના શહેર કે વિસ્તારમાં સ્વયંસેવકની ભૂમિકા પણ ભજવી શકે છે.

SHARE THIS IMAGE MAXIMUM .....

14 October, 2016

મારી અલગારી હિમાલય યાત્રા ( ભાગ ૩ )



પહેલાના પ્રકરણમાં આપણે જોયું કે હું પેલી વૃદ્ધલોકોની મંડળીથી અલગ થઇ હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર પહોચી ગયો હતો. હવે આગળ......
----------------------------------------------------------------------------------------------------
રેલ્વે સ્ટેશનની બહાર નીકળીને મેં પહેલું કામ ચા પીવાનું કર્યું. ચા એ મારા માટે અમૃત છે. ચા પીતા પીતા જ મેં ચા વાળાને હરિદ્વારના સ્થળો અને અંતર વિષે બધું પૂછી લીધું હતું.

બહાર યાત્રા માટે નીકળ્યા હોય ત્યારે ત્યાના સ્થળો વિષે પૂછવાનો આ શ્રેષ્ઠ માર છે. બાકી રીક્ષા કે ટેક્સી વાળાને પૂછો તો તો એ હંમેશા એમ જ કહેશે કે બધું બહુ દૂર દૂર આવેલું છે. અને પછી તમને તેની રીક્ષામાં બેસવાનો આગ્રહ કરશે અને તમને અજાણ્યા દેખી ભાડાના મામલામાં લુંટી લે.
ચા વાળા પાસે બધું જાણ્યા પછી હું હરિદ્વારની મુખ્ય ગલીઓમાં ચાલતા ચાલતા ગંગા કિનારે જવા ઉપાડી ગયો. હરિદ્વારની ધરતી પર તમને એક અલગ જગ્યાએ આવવાનો અહેસાસ જરૂર થાય એ ચોક્કસ.


હરિદ્વારની એ મુખ્ય ધાર્મિક ગલીઓમાં બંને બાજુ કેસરિયો ભગવો રંગ લહેરાતો હોય એમ જ લાગે. દરેક દુકાન માં કર્મકાંડ થી માંડીને એક સન્યાસીને જોઈતી તમામ વસ્તુઓ મળે. જાણે કે સમજી લો બાવાઓની જ દુકાન હોય. હું આ બધું રસપ્રદ રીતે જોતા જોતા ચાલતો હતો, અને એક દુકાને આવી ચડ્યો, ત્યાંથી મેં એક ભગવો ઝભ્ભો, ધોતી અને જોળી જેવી કાપડની બેગ ખરીદી.


અને આનંદ આનંદમાં ચાલતા હું ગંગાના મુખ્ય ઘાટએ જઇ ચડ્યો. આ સ્થળ “હર કી પૌડી” ની જગ્યા કહેવાય. આ સ્થળ સાંજની ગંગામૈયાની આરતી માટે પ્રખ્યાત છે. આ સ્થળ કર્મકાંડનું મુખ્ય સ્થળ ગણાય, ભારતભર માંથી લોકો અહી બ્રાહ્મણો પાસે જાત જાતની વિધિઓ કરાવવા આવે. આ સ્થળને હું કર્મકાંડીઓ ની દુકાનોથી ભરેલું બજાર કહું તોયે ખોટું નથી. ઘણા વિદેશીઓ પણ કેસરિયા સાફા પહેરીને ફરતા હતા એ અદભુત હતું.


એક નાના પુલને ઓળંગી, થોડા પગથીયા ઉતરીને હું ઘાટ પર ગંગાના કિનારે  પહોચી ગયો.
એક બ્રાહમણ અને આસપાસ વિધિ કરાવતા ૫-૬ લોકો, આવા ટોળાઓ ઘાટ પર અસંખ્ય હતા. પણ હવે ગંગા મને બોલાવી રહી હતી. સમાન કિનારે મુકીને હું ગંગામાં કુદી પડ્યો, પણ હું જેવો અંદર પહોચ્યો કે તરત જ કેટલાય કર્મકાંડી પંડિતો, ગંગાને આહવાન આપવા દોઢ, ઘી, પંચામૃતની વાટકીઓ લઈને ઉભેલા ફેરિયાઓ મારી પાસે પહોચી ગયા. અને ગંગાનું મહાત્મ્ય અને પોતાની વસ્તુઓ ખરીદી લઈને ગંગાને અર્પણ કરી જ દો, શ્લોકનું પઠન કરાવો અને દક્ષિણા કરી પુણ્ય કમાઓ એવો સતત આગ્રહ કરવા લાગ્યા. બસ માત્ર વ્યાપાર, વ્યાપાર,  વ્યાપાર.  પણ મેં તેઓને ચોખ્ખી નાં પાડી અને અને હું પછી ગંગામય થઇ ગયો.


ગંગા સ્નાન બાદ મેં મારા જીન્સ, ટી-શર્ટ ને કાઢીને ,હવે કેસરિયો ભગવો ઝભ્ભો, ધોતી અને કાપડની જોળીનો વેશ ધારણ કર્યો. હવે હું કોઈ લેકચરર કે સામાન્ય માનસ નહિ પણ એક યુવા સંન્યાસી હતો. મારી વધેલી દાઢી એમાં સોનેમે સુહાગા જેવું કામ કરતી હતી. હવે હું અહીના લોકોની જમાતમાં સાચો ભળતો હોય એવું લાગ્યું.


હરિદ્વાર. આ નામ તો અદભુત છે. પણ અહીની એક એક પાખંડી ઘટનાઓ જોઇને હું અંદરથી સતત પીડાતો હતો. શું આ ધર્મની દશા છે ? ધર્મની આખી ફિલોસોફીના અહી પંડિતો ભાંગીને ભૂકો કરી નાખતા જણાયા. આ આધ્યાત્મ જરાય નથી....બધી બાજુ બસ, અંધશ્રધ્ધામ, ખોટા કર્મકાંડો, અને ધર્મના નામે લુંટ જ ચાલતી હતી. બિચારી ભોળી પ્રજા બકરો બનતી હતી તે મુક બની હું જોઈ રહ્યો...


ગંગાનાં કિનારે કેટલાય ભિખારીઓની ભીડ જામી હતી. તે એક એક પ્રવાસીઓને અને ખાસ કરીને વિદેશીઓને ટાર્ગેટ કરતા હતા. આ દ્રશ્યએ મારા ભારતને આબરૂ લુંટી લીધી હોય એમ મને લાગતું હતું.
ગંગા ભલે પવિત્ર ગણાતી હોય, પણ અહી તે એના અશુદ્ધ અને ગંદા રૂપમાં વહેતી હતી. અહીની કેટલીક ઘટનાઓ મને વધુ આશ્ચર્ય પમાડતી હતી. 

મેં જોયું કે એક બાજુ અહી આવનારા કહેવાતા ધાર્મિક યાત્રાળુઓ ગંગામાં પૈસા-સિક્કાઓ ફેંકતા હતા.  અને બીજી બાજુ અહીના સ્થાનિક રહેવાસીઓ આ સિક્કાઓને પાણીમાંથી વિવિધ ટેકનીકથી કાઢી લેતા. એક ટેકનીક મુજબ લોકો એક લાંબી લાકડીના છેડે મોટું લોહ-ચુંબક બાંધીને, લાકડીને ઊંડા પાણીમાં ડુબાડી ડુબાડીને તળિયે રહેલા સિક્કાઓ ને બહાર કાઢતા. આ એનું રોજનું કામ જ હશે એ એની કુશળતા પરથી કહી શકાય. માંનારેગા યોજના હેઠળ સરકારે જ અહી તેઓને આ કામ હેઠળ લગાડ્યા હોય એવું પણ જરા તમને થઇ આવે તો નવાઈ નહિ.



બીજી એક ટેકનીક મુજબ, છીછરા પાણીમાં તો લોકો એક તગારું કે બાલદી જેવું મોટું પાત્ર લઈને પાણીમાં તળિયાની રેતી ભેગી કરતા અને કિનારે તે ઠાલવીને તેમાંથી સિક્કાઓ વીણી લેતા. છે ને આ લોકો પણ જોરદાર.


એક બાજુ અંધશ્રધ્ધા અને બીજું બાજુ રોજગાર. બંનેનું અદભુત છતાં કડવું મિલન હતું. આ ઘટનાએ મને આ ધાર્મિક સ્થળોની મહતાથી દુર કર્યો.


હું સન્યાસીના વેશમાં હોવાથી આ વેશનો સૌથી મોટો ફાયદો એ હતો કે હવે કોઈ જ કર્મકાંડી પંડિત, ભિખારી કે કોઈપણ ધુતારા મારી પાસે ફરકતા નાં હતા. કદાચ  એ મને પોતાનામાંનો જ એક ગણાતા. હું છૂટથી બધે ફરી શકતો. અલગારી બની ને....


ઘાટના પુલ પર હું આવી ઘટાઓ જોતો હતો, ત્યાં બીજી ઘટનાઓ પણ નજરે પડી, કોઈ પણ પ્રવાસી બિચારો જેવો ગંગામાં નહાવા પડે કે કિનારે બેસે કે તરત જ દૂધ, ઘી, પંચામૃત વાલા ફેરિયાઓ કટોરીઓ લઈને પહોંચી જાય, અને અને ગંગાને અર્પણ કરો એવી જીદ કરતા અને તેને ધાર્મિક શ્રધ્ધા સાથે જોડી દેતા અને શ્રદ્ધાનું નામ આઅવે એટલે ભલભલા ઝુકી જાય. આ ગંગા ન હોત તો આ લોકોના રોજગારનું શું થાત ?? એ વિચારે હું જરા મલકી ઉઠ્યો...


આવા અનેક અવનવા ધર્મના નાટકો જોતા જોતા હું હરિદ્વારની ગલીઓ, વિવિધ મંદિરોમાં રખડતો હતો. સાંજે ૩-૪ વાગ્યા સુધીમાં મેં ઘણા દંભ-દેખાડા જોઈ લીધા. મને લાગ્યું કે આધ્યાત્મિકતાએ અહી વસવાટ કરવાનું છોડી દીધું લાગે છે. હવે તો અહી વસે છે માત્ર ધર્મનો વ્યાપાર. આ નકર અને કઠોર વાસ્તવિકતા હતી. કોઈ કટ્ટર હિંદુ આ ભલે નાં સ્વીકારી શકે પણ આ  જ સત્ય હતું. સ્વામી વિવેકાનંદનાં એક મઠ-આશ્રમ સિવાય મોટે ભાગે આવું જ હતું.


હરિદ્વારમાં હવે વધુ સમય રહેવાનો મને કોઈ જ ફાયદો ન લાગ્યો. એટલે મેં હવે આધ્યાત્મિક નગરી સમા ઋષિકેશ તરફ જવાનો નિર્ધાર કર્યો.


હું પગપાળા ચાલતા હરિદ્વારના બસ સ્ટેન્ડ સુધી પહોચ્યો. ઋષિકેશ ખુબ જ નજીકના અંતરે હતું. અહીની બસ પ્રથા મને શરૂઆતમાં ઘણી વિચિત્ર લાગી, અહી તમે કોઈ પ્લેટફોર્મ પર થી બસના પકડી શકો, તમારે બસસ્ટેન્ડના Exit Gate પર ઉભું રહેવાનું અને બસના ડ્રાઈવર-કંડકટર તમને જેતે સ્થળની બુમો પડતો બોલાવતો જાય અને બસમાં બેસાડી દે. ગુજરતના લોકલ રીક્ષા વાળા જેવું કરે છે તેવું જ કૈક.
૧.૫ કલાક મેં પ્રતીક્ષા કરી પણ બસના કોઈ જ ઠેકાણા નહિ. મારી આસપાસ ઋષિકેશ જવા વાળોનું ટોળું થવા માંડ્યું. અને લોકો મને વારે વારે પૂછે “ મહારાજ, ઋષિકેશ કી બસ કબ આયેગી “ ?
મારા પહેરવેશ પર થી એ સમજી બેસતા કે હું ઋષિકેશનાં આશ્રમનો કોઈ બાવો છું. એ પણ  મજા લેતા અને હું પણ નિજાનંદમાં ....


અને બસ અંતે આવી ખરા  “ ઋષિકેશ, ઋષિકેશ “ એવો ચાલતી બસના કંડકટરનો મોટે મોટે થી સાદ સંભળાયો. અને લોકોની ભીડમાં હું પણ બસમાં ચડી ગયો. .........


( હું ઋષિકેશ કેમ પહોચ્યો ? વચ્ચે કોની સાથે મુલાકાત થઇ ? ઋષિકેશમાં સન્યાસી હોવાના કારણે રહેવા બાબતે કેવો સંઘર્ષ કરવો પડ્યો એ વિશે આવતા પ્રકરણ માં )

-            - વિવેક ટાંક




11 October, 2016

સત્ય - ત્રણ પરિમાણમાં



આજ દિન સુધી પૃથ્વી પર ફિલોસોફીની જે જે ચર્ચા ચાલતી આવી છે. તેમાં મૂળ વાત છે સત્યની. સત્યની ખોજની. સત્યની તડપની......

આ શાશ્વત વાત છે. મારા , તમારા અને દુનિયાના અંત સુધી આ વાત રહેવાની.

સત્યની ખોજમાં ઘણા નીકળ્યા, ઘણાએ એ સત્યને પ્રાપ્ત પણ કર્યું છે. પણ છતાં એ પછી કોઈ પરિવર્તન નહિ ને માણસ ત્યાં જ હોય એવું પણ બને.,  આથી હું તો સત્યના એક જ નહી પણ  ત્રણ પરિમાણ ( Dimension )જોવ છુ. એક સત્યને જાણવાનું, બીજું સત્યને સમજવું, ત્રીજું સત્યને ટકાવી રાખવું.

 મારા મતે તો સત્યને જાણવું એ કઈ અઘરી વાત નથી, કોઈ પણ માણસ એ જાણી શકે છે, ને ઘણું ખરું એ જાણતો પણ હોઈ જ છે. આજ સુધી એવું કહેવાતું આવ્યું છે કે સત્ય કડવું હોઈ છે. અણગમો પેદા કરનાર હોઈ છે. હું એ વાતનો સ્વીકાર કરું છુ પણ હું તો એથી એક ડગલું  આગળ વધતા કહીશ કે સત્ય તીક્ષ્ણ હોઈ છે, ધારદાર હોઈ છે, તલવારથી પણ વધુ,  એનો પ્રહાર થતા જ બચવું અસંભવ છે માણસને હચમચાવી દે, અગાધ વેદના આપે. હજારો વિછીઓ કરડયાનો ડંખ. આ સત્ય છે. સત્ય નગ્ન
 પણ છે ને તીક્ષણ પણ.....


પણ . આ સત્ય જાણવું એ જરાય અઘરી વાત નથી. હા તમે એ સ્વીકારી ના શકો પણ જાણી તો શકો જ. જાણવું અને સ્વીકારવું એમાં મોટો તફાવત છે.

 દુનિયામાં એવું ઘણું છે જેને તમે જાણો છો પણ સ્વીકારી શકતા નથી.

 ઉ.દા. તરીકે , બધાજ લોકોએ સમજતા હશે કે પ્રેમ અદભુત છે. ત્યાં સ્વાર્થ, રૂપ ને કોઈ સ્થાન નથી. રૂપ પછી પહેલા પ્રેમ. પ્રેમ સામે રૂપ ઓળગી જવાનું, જેમ દીવો પ્રગટતા મીણ ઓગળે એમજ.  રૂપ કાલે નહી હોઈ, પણ પ્રેમ તો હશે જ. આ બધું જાણતા હોવા છતાં પણ લગ્ન માટે  પાત્રની  પસંદગી વખતે તમે પહેલી વાત શું જોશો? રૂપ-સુંદરતા. કહાની શરૂ ત્યાંથી જ થશે. સુંદરતા બાદ જ તમે સામેના પાત્રના બીજા પાસા તરફ આગળ વધશો.
 એ સુંદર નહી હોઈ તો તમે ત્યાં જ અટકી જવાના. છે ને બહુ મોટો વિરોધાભાસ ?
 સત્ય અલગ ને સ્વીકાર અલગ. પ્રેમની તમામ ફિલોસોફી ત્યાં ઉડી જશે.


બીજું એક ઉદા., પૃથ્વી પર એવો કયો માણસ હશે જે મૃત્યુના સત્યને જાણતો નહિ હોય ? એનો તો સ્વીકાર પણ લોકો કરે છે. છતાં પણ આશ્ચર્ય છે, આ સત્ય બધા જાણતાં હોવા છતાં શા માટે લોકો દુર્ગુણો, ગુન્હા, યા તો તમારી ભાષામાં પાપ તરફ વળે છે ? શા માટે કુકર્મો તરફ ધકેલાય છે ??


કોઈ સ્વજનના મૃત્યુના સમાચાર સાંભળતાં કે તેની લાશને નજીકથી જોતા ક્ષણભર થઇ આવે કે આ મૃત્યુ  જ સત્ય છે. હવે બધા ગુન્હા બંધ. હવે શ્રેષ્ઠ જીવન જીવવું છે. પણ આ તો ક્ષણિક વિચાર છે, અઠવાડિયા પછી તો એ જ દુરાચાર, ભ્રષ્ટાચાર, માં લોકો લઈ જાય છે. મૃત્યુનું સત્ય ખબર હોવા છતાં પણ આવો વિરોધાભાસ ??? મૃત્યુ છે, કઈ સાથે નહિ આવે છતાં ચોરી, કપટ, ભ્રષ્ટાચારથી આખી જીંદગી અઢળક સંપતિ શા માટે માણસ ભેગી કરતો હશે ??? ( જીવન ટકાવા માટે જરૂરી પૈસા ની અહી વાત થતી નથી ). મૃત્યુની જાણ હોવા છતાં આવું થાય છે. કેમ ???


તો હવે વિચારો , શું સત્ય ખાલી જાણી લેવાથી બધું યોગ્ય થઇ જાય ?સત્ય જાણી લેવાથી કલ્યાણ, શાંતિ,મોક્ષ તમને  જે જે શબ્દો ઠીક લાગે તે મૂકી ડો, પણ તે આવી શકે ખરા? હું દાવા સાથે કહીશ, જરા પણ નહી.
 એટલે જ મેં કહ્યું સત્યને જાણવું અઘરી વાત નથી.


 તો શું અઘરું છે? અઘરું છે એ સત્યને સમજવું. સત્યના કટકા કરી એક એક ટુકડાને નખશીખ સમજવું. સમજણ પછી જ સત્ય રોમ રોમ માં વ્યાપી જાય. પછી એ સત્ય માણસનો સ્વભાવ બની જાય . પછી એ સત્ય કદાચ તમને કામ લાગે ખરું. પછી તમે ધારો તો પણ કદાચ દુર્ગુણ નાં આચરી શકો.


પણ અહી પણ કદાચ શબ્દ મેં મુક્યો છે. થોડી મેહનત , થોડી સાધનાથીથી, થોડી એકાગ્રતાથી સત્ય સમજી શકાય છે. બુદ્ધ , મહાવીર, કૃષ્ણ, રામકૃષ્ણ, વિવેકાનંદ, રમણમહર્ષિ, અરવિંદ જેવા અનેક લોકો અલગ અલગ માર્ગે જઈને સત્યને સમજી શક્યા હતા. કોઈ પણ માણસ આટલે સુધી જઈ શકે છે.
પણ આ પછીનો માર્ગ ભયંકર છે,  કહું તો કહું છું આ રસ્તો તદન કંટાળો, પથ્થરાળો , ખાઈ, વાળો છે.   સમજેલા સત્યને જીવનભર , પળેપળે , ક્ષણેક્ષણે ટકાવી રાખવું એ સૌથી અઘરું છે.  સત્યને ટકાવી રાખનાર જ બુદ્ધ બન્યા છે.


 એ સત્ય તમારા શ્વાસે શ્વાસ માં , રગે રગમાં, દિવસરાત વહેવું જોઈએ. એ ટકી શકે તો સમજવું બીજ માંથી મહાવૃક્ષ બનશે. બાકી એ બીજ અંકુરિત તો થશે પણ એ છોડ બનીને જ રહી જશે અને મહાવૃક્ષ  સામે છોડ બહુ ફિક્કું પડી જાય. પવનને , વરસાદને મહાવૃક્ષ ઝીલી શકે, છોડ નહી.
એટલે ખાલી સત્ય જાણી લેવું પર્યાપ્ત નથી. જાણ્યા પછી એ સમજવું ને સમજયા પછી એ જીવનભર ટકાવી રાખવું.


તાત્પર્ય એ છે કે કોઈ પણ જ્ઞાન, ધર્મ, મજહબ, સંપ્રદાય, વિચાર વગેરે ની વિચારધારા માત્ર સત્યને જાણી લેવા સુધી સીમિત ન રહેતા તેને ટકાવી રાખવા સુધી ની હોવી જોઈએ.


 પરંતુ કોઈ પણ ધર્મ, ગુરુ માર્ગદર્શક તમને સત્ય સમજવા સુધીનો યાત્રામાં જ તમારો સાથ આપશે. એ પછી એ ત્યાં જ ઉભો રહી જશે . બાકી ની યાત્રા, તેને  ટકાવાનો પ્રવાસ માણસે સ્વયં જ  ખેડવો પડે છે.
 આ બાબતમાં હું બુદ્ધની બાજુ માં ઉભો રહી જાઉં છુ, બુદ્ધે કદી પોતાના તમામ શિષ્યોના નિર્વાણ ની જવાબદારી લીધી નથી, ના તો એણે કહ્યું  છે કે હું મુક્તિદાતા છુ. એણે હમેશા કહ્યું છે કે હું માત્ર માર્ગદર્શક ( Mentor ) છુ. હું રસ્તો બતાવી શકું, ચાલવું તમારા પર છે. હું સત્ય બતાવું, સમજો તમે, ટકાવો તમે. એ જ નિર્વાણ.



( આ આખી વાત મેં લખી હોવા છતાં મેં નથી લખી. આ રાત્રીના અંધકાર માં ઘરમાં બેઠા બેઠા જ અંદરથી નીકળેલી વાત છે. વાત નીકળતી ગઈને હું લખતો ગયો . આ લખનાર હું હતો પણ હું ન હતો.)

- વિવેક ટાંક