14 March, 2019

Naida Cave - દીવ

Naida Cave -



આમ તો દીવ કેન્દ્રશાષિત પ્રદેશ છે. પણ અહીના લોકોની રહેણી કહેણી તદન ગુજરાતી જ છે..વર્ષો પહેલા ગુજરાત સલાત્નતનાં રાજાઓ પાસે દીવ હતું. પણ ગુજરાત પર મોઘલ શાશક હુમાયુના આક્રમણ વખતે ગુજરાતના રાજાઓએ હુમાયુ સામે લડવા માટે પોર્ટુગલ સેનાની મદદ માંગી અને બદલામાં દીવ પોર્ટુગલોની આપ્યું..ત્યારથી લઈને છેક આઝાદી સુધી દીવનો કબજો પોર્ટુગલ પ્રજા પાસે રહેલો. આથી ત્યાના સ્થાપત્યો પર પોર્ટુગીઝ છાપ સ્પષ્ટ જોવા મળશે...

દીવમાં ફરવા જેવા ઘણા ઘણા સ્થળો છે.. જેમકે  બીચ, કિલ્લો, ચર્ચ, મ્યુઝીયમ વગેરે આવેલ છે...ઓછામાં ઓછો એક આખો દિવસ તો દીવ માટે જોઈએ જ.

પણ  દીવમાં આવેલ સૌથી મહત્વની જગ્યા એટલે નાઈડા કેવ....વિશાળ ચૂનાના પત્થરોની વિશાલ ગુફા....અહી પ્રવેશતા જ એવું લાગે જાણે તમે કોઈ ખજાનાની શોધમાં કોઈ ગુફામાં જઈ પડ્યા છો. તેનું સૌન્દર્ય એટલું છે કે તમને દિલમાં આનંદ આનંદ જ લાગ્યા કરે...મેં ગુજરાતમાં આવી વિશાળ ગુફા બીજી કોઈ જોઈ નથી...

ગુફાનો ઈતિહાસ સ્પષ્ટ નથી. ઘણા એવું કહે છે કે પોર્ટુગીઝોએ કિલ્લો બંધાવા પથ્થરો અહીંથી કાઢેલા અને ઘણા લોકો આ ગુફા પ્રાકૃતિક હોવાનું કહે છે. ગુફા અને વચ્ચે ઉગી નીકળેલા વૃક્ષો ગુફાને ચાર ચાંદ લગાવી દે છે...એવું કહેવાય છે કે ફોટોગ્રાફરો માટે આ પેરેડાઇઝ છે....

જો તમે શાંતિનાં, પ્રકૃતિના, માણસ છો તો આ જગ્યા ચોક્કસ ગમશે...

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે જવું ? દીવ  ગીર સોમનાથ જીલ્લાનાં ઊના થી એકદમ નજીક ( ૧૫ કિમી અંતરે ) આવેલ છે...અમદાવાદ/રાજકોટ/જુનાગઢ વગરે સ્થળોથી સીધી બસ મળી રહે છે...

ક્યારે જવું ? વર્ષમાં કોઈ પણ સમયે આ સ્થળની મુલાકાત લઇ શકાય છે....










05 March, 2019

અજંતાની ગુફાઓ -

અજંતાની ગુફાઓ -




ઈતિહાસના લેકચર તરીકે અને કળા રસિક તરીકે આ જગ્યા જોવી એ મારું એક સપનું હતું. સ્પીપા -અમદાવાદ  ખાતે ડેપ્યુટી  કલેકટરની અમારી ટ્રેનીંગ ચાલુ હતી એ સમય ગાળામાં 3 દિવસની રજા આવી રહી હતી. એટલે મેં અજંતા ઈલોરા જવાનું નક્કી કરેલ. અમદાવાદથી ઔરંગાબાદ આશરે ૬૫૦  કિમી અંતર થાય. અની ત્યાંથી ૧૦૦ કિમી અંતરે અજંતાની ગુફાઓ આવેલ છે. કાર ચલાવવી ઈ મારે માન ધ્યાન કરવા જેવુ છે આથી અમદાવાદથી  મેં એકલા હાથે સળંગ ૬૦૦ કિમી  સુધી કાર ચલાવીને અમે ઔરંગાબાદ પહોંચ્યા. ત્યાં સર્કીટ હાઉસમાં રોકાણ કરીને અમે વહેલી સવારે અજંતાની ગુફાઓ જવા નીકળેલા...

અજંતા એટલે ભારતીય સંસ્કૃતિનાં ઈતિહાસ,  આર્ટ અને કલ્ચરનો ભવ્ય વૈભવ  દર્શાવતું અદભુત સ્થળ.....
ઇ.સ.પૂ. 2 થી ઇ.સ. 5મી સદીમાં વિવિધ વંશના રાજાઓએ આ ગુફાઓ બનાવેલી. અહી કુલ  29 બૌદ્ધ ગુફાઓ કોતરવામાં આવેલી છે..
માત્ર પુસ્તકોમાં વાંચેલ આ ગુફાઓ નજરે જોયા બાદ વખાણ કરતા થાકીએ નહીં...આજ પણ મારી આંખોના કેમેરામાં આ ગુફાના દ્રશ્યો કોતરાઈને સમાયેલ છે...આટલી કળા કારીગીરી આજથી ૧૫૦૦ વર્ષ પહેલા કેવી રીતે વિકસાવી હશે ઈ આશ્ચર્ય જેવું જ લાગે..અને આ ગુફા કોતારનારા અને તેમાં વિવિધ પેન્ટિંગ કરનારા લોકો કોઈ કારીગરો નહિ પણ બૌદ્ધ સાધુઓ હતા....ધન્ય છે આ સાધુઓને.....

ફ્રેસ્કૉ પેઇન્ટિંગ આ ગુફાઓની  સૌથી મોટી ખાસિયત છે. એટલે કે તેમાં દીવાલ પર પહેલા લીપણ કરવામાં આવે અને પછી ચિત્મારો દોરીને રંગ પુરાવામા આવે એટલે દીવાલ કલર શોષી લે અને ચિત્નીરો વર્ષો સુધી ટકી રહે. માની  ના શકીયે કે હજારો વર્ષ પહેલા કોઈએ આવા ચિત્રો બનાવ્યા હશે. ઇતિહાસ અને આર્ટ-કલ્ચર નાં શોખીન અને એક ભારતીય તરીકે આ સ્થળ ખાસ જોવા જેવું છે. તમામ ભારતીયો માટે આ  ગર્વની વાત છે....

બધી ગુફામોમાં બૌદ્ધ શિલ્પો અને બુદ્ધનાં સમગ્ર જીવનની કહાની રંગોથી સજાવામાં આવી છે....

કહેવાય છે કે એક અંગ્રેજ અહીના જંગલમાં વાઘનો શિકાર કરવા નીકળેલ ત્યારે વાઘ ભાગીને આ ગુફામાં છુપયી ગયેલ અને તેનો પીછો કરતો કરતો પેલો અંગ્રેજ આ ગુફા સુધી પહોંચ્યો. અને આ જોઇને તે મંત્ર મુગ્ધ થઇ ગયેલ આ રીતે આકસ્મિક રીતે આ પ્રાચીન ગુફાઓની શોધ થયેલ.

અજંતા અને ઈલોરામાં મુખ્ય તફાવત ઈ છે કે અજંતાની ગુફાઓ માત્ર બૌદ્ધ ધર્મને પ્રદર્શિત કરે છે જ્યારે ઈલોરા હિંદુ,બૌદ્ધ, જૈન ત્રણેય ધર્મને પ્રદર્શિત કરે છે.. અજંતાની ગુફા તેના પેઇન્ટિંગ માટે પ્રખ્યાત છે જ્યારે ઈલોરા તેના સ્થાપત્યો માટે પ્રખ્યાત છે. બંને સ્થાનો યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ સાઈટની યાદીમાં સ્થાન ધરાવે છે....

આ ગુફા બનાવનાર રાજાઓ અને કલાકાર સાધુઓને ને દિલથી સલામ.....

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે જવું ? અમદાવાદ/વડોદરાથી સૌ પ્રથમ મહારાષ્ટ્રના ઔરંગાબાદ બસ/કાર દ્વારા પહોંચવું. ત્યાંથી ૧૦૦ કિમીના અંતરે અજંતાની ગુફાઓ અને ૩૫ કિમીના અંતરે ઈલોરાની ગુફાઓ આવેલ છે.....

ક્યારે જવું ? વર્ષ દરમ્યાન કોઈ પણ સીઝનમાં અહી જી શકાય છે.....

અન્ય માહિતી - સારી રીતે એક્સ્પ્લોર કરવા માટે ઓછામાં ઓછા 3 દિવસ જોઈએ...એક દિવસ અજંતા, એક દિવસ ઈલોરા અને એક દિવસ  ઔરંગાબાદ....