23 August, 2019

કિલેશ્વર - બરડાની ગોદમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પોરબંદર જિલ્લાની સરહદ ઉપર આવેલ બરડા ડુંગરમાં જામ રાજવીઓના વખતમાં કિલેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. અનામત વન વિસ્તાર જાહેર કરવામાં આવેલા આ વિસ્તારમાં આવેલું શિવાલય જામ શાસનની ભવ્યતાનું દર્શન કરાવે છે. શ્રાવણ માસમાં કિલેશ્વરના દર્શને ભાવિકોની ભીડ ઉમટી પડે છે.

ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેવી  એ જીવનભરનો લહાવો છે. ચારેબાજુ બરડા ડુંગરની હારમાળા , ઉપરથી વરસતો ધીમો ધીમો વરસાદ અને જંગલની વનરાઈ,તમને જાણે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હોય તેમ લાગે. 


કિલેશ્વર તેના સુંદર મહાદેવ મંદિર માટે જાણીતું છે, જે જામનગરથી 50 કિલોમીટર દૂર બરડા ડુંગરમાં આવેલું છે. જામનગરના રાજવી શ્રી જામ સાહેબે કીલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું છે અને આ રીતે આ સ્થળનું નામ આપવામાં આવ્યું છે. તદનુસાર પૌરાણિક કથાઓ, પાંડવો આ સ્થળે તેમના અલગ સમય દરમિયાન રહ્યા હતા.



એક સમયે મંદિરનો ભાગ જર્જરિત થયો હોય ત્રિકાળજ્ઞાની સિધ્ધ પુરૂષ ત્રિકમજી મહારાજે જામ રણજીતસિંહજીને કિલેશ્વર મહાદેવ મંદિરનો થોડો ભાગ ખુલ્લો થઇ ગયો હોય તે અંગે રજૂઆત કર્યા બાદ જીર્ણોદ્ધાર જામ શત્રુશલ્યસિંહજીએ કરાવ્યો હતો.
૧૯૭૪માં ભયંકર વાવાઝોડું થયા બાદ બરડા ડુંગરમાં રહેતા લોકોને રોજીરોટી મળી રહે તે માટે જામ ધર્માદા સંસ્થા દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતા. જે ૧૯૭૭માં પૂરા થયા બાદ પોરબંદરના રાજવી પરિવારનાં નટવરસિંહજીના હસ્તે જામસાહેબે કળશ ચડાવ્યો હતો.

એક્સ્ટ્રા શોટ્સ -

ક્યારે જવું ? કિલેશ્વરની પ્રકૃતિનો સાચો આનંદ માણવો હોય તો ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેવી. ઝરણા, ધીમો વરસાદ અને લીલોતરીનો શણગાર અનુભવાય છે...

કેવી રીતે જવું ? કિલેશ્વર પોરબંદરથી ૪૫ કિમી અને ભાણવડથી ૨૦ કિમી અંતરે આવેલ છે...તે બરડા અભયારણ્યમાં અંદર આવેલ હોય આથી ખાનગી બસ/કાર દ્વારા જ મુલાકાત લેવી હિતાવહ છે...

ક્યાં રોકાવું  ? જનાગલ વિસ્અતાર હોવાથી અહી રોકાવા પર પ્રતિબંધ છે. નજીકના મુખ્ય સ્થળ ભાણવડ,પોરબંદર પર રોકાણ કરવું જોઈએ...

નોંધ - કિલેશ્વર બરડા અભયારણ્યનો હિસ્સો હોવાથી સાંજે ૬ વાગ્યા સુધી જ આ જગ્યા પર પ્રવેશ મળે છે એટલે શક્ય હોય તો સવારે  આ સ્થળની મુલાકાત લેવી.




No comments:

Post a Comment