05 March, 2019

અજંતાની ગુફાઓ -

અજંતાની ગુફાઓ -




ઈતિહાસના લેકચર તરીકે અને કળા રસિક તરીકે આ જગ્યા જોવી એ મારું એક સપનું હતું. સ્પીપા -અમદાવાદ  ખાતે ડેપ્યુટી  કલેકટરની અમારી ટ્રેનીંગ ચાલુ હતી એ સમય ગાળામાં 3 દિવસની રજા આવી રહી હતી. એટલે મેં અજંતા ઈલોરા જવાનું નક્કી કરેલ. અમદાવાદથી ઔરંગાબાદ આશરે ૬૫૦  કિમી અંતર થાય. અની ત્યાંથી ૧૦૦ કિમી અંતરે અજંતાની ગુફાઓ આવેલ છે. કાર ચલાવવી ઈ મારે માન ધ્યાન કરવા જેવુ છે આથી અમદાવાદથી  મેં એકલા હાથે સળંગ ૬૦૦ કિમી  સુધી કાર ચલાવીને અમે ઔરંગાબાદ પહોંચ્યા. ત્યાં સર્કીટ હાઉસમાં રોકાણ કરીને અમે વહેલી સવારે અજંતાની ગુફાઓ જવા નીકળેલા...

અજંતા એટલે ભારતીય સંસ્કૃતિનાં ઈતિહાસ,  આર્ટ અને કલ્ચરનો ભવ્ય વૈભવ  દર્શાવતું અદભુત સ્થળ.....
ઇ.સ.પૂ. 2 થી ઇ.સ. 5મી સદીમાં વિવિધ વંશના રાજાઓએ આ ગુફાઓ બનાવેલી. અહી કુલ  29 બૌદ્ધ ગુફાઓ કોતરવામાં આવેલી છે..
માત્ર પુસ્તકોમાં વાંચેલ આ ગુફાઓ નજરે જોયા બાદ વખાણ કરતા થાકીએ નહીં...આજ પણ મારી આંખોના કેમેરામાં આ ગુફાના દ્રશ્યો કોતરાઈને સમાયેલ છે...આટલી કળા કારીગીરી આજથી ૧૫૦૦ વર્ષ પહેલા કેવી રીતે વિકસાવી હશે ઈ આશ્ચર્ય જેવું જ લાગે..અને આ ગુફા કોતારનારા અને તેમાં વિવિધ પેન્ટિંગ કરનારા લોકો કોઈ કારીગરો નહિ પણ બૌદ્ધ સાધુઓ હતા....ધન્ય છે આ સાધુઓને.....

ફ્રેસ્કૉ પેઇન્ટિંગ આ ગુફાઓની  સૌથી મોટી ખાસિયત છે. એટલે કે તેમાં દીવાલ પર પહેલા લીપણ કરવામાં આવે અને પછી ચિત્મારો દોરીને રંગ પુરાવામા આવે એટલે દીવાલ કલર શોષી લે અને ચિત્નીરો વર્ષો સુધી ટકી રહે. માની  ના શકીયે કે હજારો વર્ષ પહેલા કોઈએ આવા ચિત્રો બનાવ્યા હશે. ઇતિહાસ અને આર્ટ-કલ્ચર નાં શોખીન અને એક ભારતીય તરીકે આ સ્થળ ખાસ જોવા જેવું છે. તમામ ભારતીયો માટે આ  ગર્વની વાત છે....

બધી ગુફામોમાં બૌદ્ધ શિલ્પો અને બુદ્ધનાં સમગ્ર જીવનની કહાની રંગોથી સજાવામાં આવી છે....

કહેવાય છે કે એક અંગ્રેજ અહીના જંગલમાં વાઘનો શિકાર કરવા નીકળેલ ત્યારે વાઘ ભાગીને આ ગુફામાં છુપયી ગયેલ અને તેનો પીછો કરતો કરતો પેલો અંગ્રેજ આ ગુફા સુધી પહોંચ્યો. અને આ જોઇને તે મંત્ર મુગ્ધ થઇ ગયેલ આ રીતે આકસ્મિક રીતે આ પ્રાચીન ગુફાઓની શોધ થયેલ.

અજંતા અને ઈલોરામાં મુખ્ય તફાવત ઈ છે કે અજંતાની ગુફાઓ માત્ર બૌદ્ધ ધર્મને પ્રદર્શિત કરે છે જ્યારે ઈલોરા હિંદુ,બૌદ્ધ, જૈન ત્રણેય ધર્મને પ્રદર્શિત કરે છે.. અજંતાની ગુફા તેના પેઇન્ટિંગ માટે પ્રખ્યાત છે જ્યારે ઈલોરા તેના સ્થાપત્યો માટે પ્રખ્યાત છે. બંને સ્થાનો યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ સાઈટની યાદીમાં સ્થાન ધરાવે છે....

આ ગુફા બનાવનાર રાજાઓ અને કલાકાર સાધુઓને ને દિલથી સલામ.....

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે જવું ? અમદાવાદ/વડોદરાથી સૌ પ્રથમ મહારાષ્ટ્રના ઔરંગાબાદ બસ/કાર દ્વારા પહોંચવું. ત્યાંથી ૧૦૦ કિમીના અંતરે અજંતાની ગુફાઓ અને ૩૫ કિમીના અંતરે ઈલોરાની ગુફાઓ આવેલ છે.....

ક્યારે જવું ? વર્ષ દરમ્યાન કોઈ પણ સીઝનમાં અહી જી શકાય છે.....

અન્ય માહિતી - સારી રીતે એક્સ્પ્લોર કરવા માટે ઓછામાં ઓછા 3 દિવસ જોઈએ...એક દિવસ અજંતા, એક દિવસ ઈલોરા અને એક દિવસ  ઔરંગાબાદ....








1 comment:

  1. Ford edge titanium for sale online | TITanium Arts
    Ford edge nano titanium flat iron titanium online. camillus titanium TITanium Artists · ford edge titanium 2019 Studio · titanium welding Online Gaming · Virtual Gaming. Best titanium rings for men Betting Site. Best Odds · Best Bookmakers. Best Casino

    ReplyDelete