04 June, 2019

નંદીગ્રામ- (ધરમપુર)

નંદીગ્રામ-

આજે પણ આધ્યાત્મિક લોકો જીવતા જાગતા જોવા મળે છે, એનો વધુ એક પુરાવો એટલે " સાત પગલા આકાશમાં " નાં લેખિકા કુન્દનિકાબેન કાપડિયા. એક સરળ નિખાલસ આધ્યાત્મિક વ્યક્તિત્વ...
વર્ષો પહેલા મકરંદ દવેએ વલસાડ પાસેના આદિવાસીઓ માટે આ નંદીગ્રામ સંસ્થા ઉભી કરેલી. અને ધીરે ધીરે તે સરસ આધ્યાત્મિક સ્થળ બની ગયું.
અજંતા-ઈલોરાની યાત્રા વખતે દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમ્યાન આ સ્થળની મુલાકાત લીધી. કદી સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે કુન્દનિકાબેન સાથે આટલી સરસ મુલાકાત થશે...

ધારાપુર જતા અમે નંદીગ્રામ અશર્મ પર અમારી કાર ઉભી રાખી. આજુ બાજુ નજર કરી તો  એક સાધક આવ્યા અને અમને આખું નંદીગ્રામ બતાવ્યું. એક એક જગ્યા વિષે જાણકારી આપી બાદમાં અમે આશ્રમમાં એક જગ્યા બેસીને શાંતિનો અનુભવ કરી રહ્યા હતા.

કુન્પદનિકાબેન કાપડીયા ભોજનશાળામાં ભોજન લઇ રહ્યા હતા એટલે  અમે તેની રાહ જોઇને ભોજનશાળાની બહાર ઉભા હતા, એમનું જમવાનું પૂરું થયું અને એ તેના ઓરડા  તરફ જતા હતા અને મે તો એમ જ એમની સાથે થોડી આધ્યાત્મિક વાતો  કરી અને પછી એમને પણ આધ્યાત્મિક વાતોનો આનંદ આવ્યો અને અમને તેમના ઓરડા તરફ આવવા કહ્યું. અમે ત્પયાં જઈને બેઠા અને પછી તો આધ્યાત્મિકસંવાદનો ઘણો દોર ચાલ્યો. એમણે મારી ઘણી આધ્યાત્મિક શંકાનાં સમાધાન કર્યા.  અને કહ્યું કે તમને  સમય આવ્યે આધ્યાત્મમાં યોગ્ય  દિશા જરૂર મળશે....
અંતે ખુશ થઈને તેમણે મને એક અપ્રાપ્ય બૂકની બચેલી છેલી કોપી જાતે ઘરમાં શોધીને ભેંટમાં આપી અને તેમાં "આધ્યાત્મના અનંત યાત્રીને ભેંટ" એવું લખી પોતાના હસ્તાક્ષર કર્યા. આ એક  અદભુત ક્ષણ  હતી.....

તેમના પતિ સાહિત્યકાર મકરંદ દવે પણ બહુ મોટી આધ્યાત્મિક વિભૂતિ હતા.રામકૃષ્ણ  પરમહંસનો અવતાર મનાતા  ગોંડલનાં નાથાલાલ જોશી સાથે તેઓએ ઘણા વર્ષો રહીને આધ્યાત્મ સાધના કરેલી...
@ Nandigraam ( Dharampur - Valsad )


એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે જવું ? વલસાડ થી ધરમપુર જતા ( ૨૭ કિમી )  રસ્તામાં જ નંદીગ્રામ આશ્રમ આવેલ છે....બસ/કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.

ક્યારે જવું ? કોઈ પણ સમયે આ આધ્યાત્મિક સ્થળની મુલાકાત લઇ શકાય છે..ધરમપુરની મુલાકાત દરમ્યાન સાથે જ  મુલાકાત લઇ શકાય...

અન્ય માહિતી - આધ્યાત્મિક સાધના માટે નંદીગ્રામમાં જ રોકાઈને સાધના કરી શકાય છે....








No comments:

Post a Comment