08 January, 2019

હલ્દીઘાટી - એક ઈતિહાસ......

હલ્દીઘાટી - એક ઈતિહાસ......


ઇતિહાસમાં માનસિંહ અને મહારાણા પ્રતાપ વચ્ચેના હલ્દીઘાટીનાં યુદ્ધને કેટલીયે વાર ભણાવ્યા પછી આ સ્થળને પ્રત્યક્ષ જોતા અંદરનો ઇતિહાસકાર ધન્ય ધન્ય થયો.....

ઉદયપુરની મુલાકાત દરમ્યાન અમે હલ્દીઘાટીની મુલાકાત લીધેલી...

ઈતિહાસ તરફ એક નજર  - 
મુઘલ સમ્રાટ અકબરે રજપૂતો સાથે સબંધો સ્થાપવા વિવિધ મૈત્રીની નીતિ અપનાવેલી અને મોટાભાગના રાજપૂતોને પોતાન પક્ષમાં કરલા. જેમાં તેના સૌથી માનીતા હતા જયપુર ( આંબેર) નાં રાજા માનસિંહ. મેવાડના મહારાણા પ્રતાપને પોતાના પક્ષમાં કરવા માટે અકબરે ઘણા પ્રયાસો કરેલા પણ મહારાણા પ્રતાપ કદી કોઈનું આધિપત્ય સ્વીકારવા તૈયાર નાં હતા. છલ્લે અકબરે મહારાણા પ્રતાપને સમજાવવા માટે ખુદ માનસિંહને મોકલેલા છતાં મહારાણા પ્રતાપ માન્યા નહિ. અને અંતે ઈ.સ. ૧૫૭૬ માં મહારાણા પ્રતાપ અને અકબરની સેના વચ્ચે અહી હલ્દીઘાટીમાં ભીષણ યુદ્ધ થયેલ. આ યુદ્ધ બાદ મહારાણા પ્રતાપનાં ચહિતા ઘોડા "ચેતક " નું એક છલાંગ લગાવ્યા બાદ મૃત્યુ થયેલ...

યુદ્ધ બાદ મહારાણા પ્રતાપ ભીલોની મદદ થી મુઘલ સેના સામે જીવનના અંત સુધી લડતા રહેલા....

આ સ્થળ પર મેં આંખ બંધ કરેલી ત્યારે જાણે એકબાર અને મહારાણા ની સેનાઓ અને તેના ઘોડાઓનો અવાજ સંભળાતો હોય તેવું અનુભવાય...અહી થી થોડે જ આગળ મહારાણા પ્રતાપનું મ્યુઝીયમ પણ છે....આ સમગ્ર મુલાકાત આપણને રાજપુતાના યુગમાં ખેંચી જાય તે સ્વાભાવિક છે...

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ? ઉદયપુરથી ૪૫ કિમીના અંતરે હલ્દીઘાટી આવેલ છે.. બસ/ ખાનગી કાર/ શેરીંગ કાર દ્વારા ઉદયપુરથી અહી સરળતાથી પહોંચી શકાય છે....

ક્યા રોકાવું ? ઉદયપુરમાં અસંખ્ય હોટેલ છે..ત્યાં જ રોકાણ કરીને હલ્દીઘાટી તરફ ફરવા નીકળવું ઈ સૌથી બેસ્ટ છે....






















No comments:

Post a Comment